નવી દિલ્હીઃ નોટબંધી નિર્ણય બાદ સડકથી સંસદ સુધી રાજકારણ થયુ, બેન્કો સામે લાઇનોમાં થયેલી મોતને લઇ ભારે હંગામો થયો હતો. કોલકાતાથી લઇને દિલ્લી સુધી પશ્મિમ બંગાળના સીએણ મમતા બેનર્જી હંગામો કરતી રહી. સંસદના શિયાળુ સત્રમાં પણ એક પણ દિવસ ના હોય. જ્યારે બસપા સુપ્રિમો માયાવતીએ આ મુદ્દો ના ઉઠાવ્યો હોય. પરંતુ નોટબંધી બાદ જે નવી તસ્વીર ઉભરી છે તેને સરકાર પોતાની સફળતા ગણાવે છે.
નોટબંધી નિર્ણય બાદ 50 દિવસની સમય મર્યાદા બાદ દેશ ભરની 60 લાખ બેન્કના ખાતામાં 2 લાખ રૂપિયાથી પણ વધુ રકમ જમા થઇ છે.
ઉત્તર પૂર્વ રાજ્યોમાં અલગ અલગ બેન્ક ખાતાઓમાં 9 નવેમ્બરથી અંદાજે10,700 કરોડ રૂપિયા જમા થઇ ચુક્યા છે.
નોટબંધી બાદ નિષ્ક્રિય ખાતામાં 25 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
નોટબંધી બાદ 80 હજાર કરોડ રૂપિયાની ઉધારી જૂની નોટમાં જમા કરાવવામાં આવી છે.
અલગ અલગ સહકારી બેન્કોમાં 16 હજાર કરોડ રૂપિયાની IT અને ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નોટબંધી પાબ 3-4 લાખ કરોડ રૂપિયાની તપાસ કરવામાં આવી રહી છે.