સુરત જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. સાથે સાથે લોકો શ્વાસ લેવામાં તકલીફો પણ સતત વધી રહી છે. ત્યારે આવામાં એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જણાવતા તેને વેન્ટિલેટર ન મળતા મોત ને ભેટી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં રહેતા ભદ્રાબેન શાહ નામન મહિલાને ગત રોજ શ્વાસની તકલીફ થઈ જતા પુત્ર આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર ન મળતા તેની માતાનું મોત નીપજ્યું હતું. માતાના મોત બાદ સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો.
આ પણ વાંચો :વડોદરામાં 3 કલાક સુધી પિતાને શોધતો રહ્યો પુત્ર, અંતે બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
જોકે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી હોય તેમ શબવાહીની આપવાનો ઇનકાર કરી દેવાતાં રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.
મહિના અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા પુત્રએ સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી આ ઘટનમાં પરિવાર ખૂબ હેરાન થયો હતો અને કોઈ મદદે નહિ આવતા એકલતાની લાગણી અનુભવી હતી.
આ પણ વાંચો :શહેરના તમામ સ્મશાનગૃહ ફૂલ થતા હવે અંતિમક્રિયા માટે સ્વજનોનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ
મહત્વનું છે કે, આ મહિલાના ઘરના સભ્યો એજ મળી પ્લાસ્ટિકમાં મૃતદેહ લપેટી લારીમાં જ સ્મશાન લઇ ગયા હતા અને અગ્નિદાહ આપ્યો હતો.
આ પણ વાંચો :અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા, આરોપીઓ ફરાર
આ પણ વાંચો :ખોડલધામના પ્રમુખ તેમજ તેમની પત્નીને લાગ્યું કોરોનાનું ચેપ