મોરબીના હળવદમાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવતા આ વિસ્તારમાં ચકચાર જાગી છે. આ હુમલામાં બે ભાઈઓ ગંભીરપણે ઘાયલ થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના હળવદ સ્થિત ગૌરી દરવાજા પાસે હુમલાનો આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો કરાતા તેઓ ગંભીરપણે ઘાયલ થયા હતા. સારવાર અર્થે ત્રણેય ભાઈઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે એક ભાઈનું ગંભીર ઈજાને પગલે રાજકોટની હોસ્પિટલમાં મોત થયું હતું.
ત્રણેય ભાઈઓ નવા ઈસનપુર ગામના વતની હતા અને ઈસનપુરથી હળવદ ખાતે સેન્ટીંગનું કામ કરવા માટે આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:
આ પણ વાંચો: