RIP/ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો દેહ પંચમહાભૂતમાં વિલીન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  બાપાની અંતિમ વિદાયમાં મોટી સંખ્યા રાજકીય આગેવાનો સાથે લોકો પણ જોડાયા હતા. અશ્રુભીની આંખે બાપાને વિદાય આપવામાં આવી છે. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને રાજ્ય સરકારે એક […]

Top Stories Gujarat Others
db 33 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો દેહ પંચમહાભૂતમાં વિલીન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  બાપાની અંતિમ વિદાયમાં મોટી સંખ્યા રાજકીય આગેવાનો સાથે લોકો પણ જોડાયા હતા.

અશ્રુભીની આંખે બાપાને વિદાય આપવામાં આવી છે. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં તેમનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.

તેમના નિવાસ સ્થાને જ રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, રાજકીય આગેવાનો, કાર્યકરોએ બાપાનાં અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામા લપેટી નીકળેલી અંતિમ યાત્રા સેક્ટર 30ના સ્મશાનગૃહ પહોંચી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇના પાર્થિવ દેહને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અને સલામી આપી સંપૂર્ણ રાજકિય સન્માન સાથે ભારે હૈયે બાપાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંત્યોષ્ઠી સમયે મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભાજપના નેતાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.