શ્રદ્ધાંજલિ/ અલવિદા કેશુબાપા..!! શૂન્યથી શિખર સુધીની જીવનયાત્રાની એક ઝલક

24મી જુલાઈ 1928ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલ નો ઉછેર આર્થિક તંગી અને સંકડામણ વચ્ચે થયો હતો. તકદીર સાથે લડીને આગળ વધેલા એક આગેવાન અને વિદ્યાર્થીકાળમાં તેમણે કૂવા ગાળવાનું તેમજ અન્ય નાનાં-મોટાં મજૂરીકામ કર્યાં હતા. 

Top Stories Gujarat Mantavya Vishesh Uncategorized
jamnagar 7 અલવિદા કેશુબાપા..!! શૂન્યથી શિખર સુધીની જીવનયાત્રાની એક ઝલક

શૂન્યથી શિખર સુધીનો કેશુબાપાનો સફર ઘણો જ સંઘર્ષમય રહયો છે. ૬૦ના દાયકામાં એક કાર્યકર્તાથી શરૂ થયેલી તેમની સફર રાજકીય જીવનમાં ખુબ આગળ સુધી વધી,અને છેલ્લે સુધી તેઓ રાજકીય જીવનમાં સક્રિય રહ્યા હતા. કેશુબાપા 15 વર્ષની કિશોર અવસ્થામાં જ આરએસએસના સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા હતા.

नरेंद्र मोदी को राजनीति का ककहरा सिखाने वाले केशुभाई पटेल नहीं रहे -  Keshubhai Patel: Chief Minister Of Gujrat who established BJP in Gujarat

મહદઅંશે એ જમાનામાં જનજીવન પર કૉંગ્રેસની અસર અને પકડ હતી, તે વખતે નેતાઓ ગાંધીવાદી વિચાર સરણી સાથે જોડાઈને પોતાની રાજકીય પ્રવૃતિ માટે કૉંગ્રેસના માધ્યમથી કાર્યરત હતા. આ બધાની વચ્ચે રાજકોટ શહેરમાં ધીરેધીરે જનસંઘનો દીવો પ્રકાશિત થતો જતો હતો. તે સમયે પોતાની જાહેર જીવનની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના  વિચારોથી પ્રેરિત થઈને કેશુ બાપા આ  માર્ગે ચાલ્યા હતા. 

rajkot / પાણી મુદ્દે મોટા સમાચાર, ડેમોમાં 6 માસ ચાલે એટલું જ પાણી…
સંઘના સ્વયંસેવકથી શરૂ થયેલી તેમની કારકિર્દી , મ્યુનિસિપલ કૉર્પોરેટર, ધારાસભ્ય, ગુજરાત જનસંઘના પ્રદેશપ્રમુખ, વિપક્ષના નેતા અને બે-બે વખત મુખ્ય મંત્રી, તેમજ લોકસભા અને રાજય સભાના સભ્યપદની ખુરશી સુધી લઈ ગઈ હતી. 

PM Modi Touched Feet Of Keshubhai Patel, Hit This Vote Bank Of Gujrat -  पीएम मोदी ने केशुभाई के पांव छूकर इस वोट बैंक पर साधा निशाना, मांगा  आशीर्वाद | Patrika News

તેમનું આખું નામ કેશુભાઈ સવદાસ દેસાઈ-પટેલ હતું. 24મી જુલાઈ 1928ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલ નો ઉછેર આર્થિક તંગી અને સંકડામણ વચ્ચે થયો હતો. તકદીર સાથે લડીને આગળ વધેલા એક આગેવાન અને વિદ્યાર્થીકાળમાં તેમણે કૂવા ગાળવાનું તેમજ અન્ય નાનાં-મોટાં મજૂરીકામ કર્યાં હતા. 

Keshubhai Patel quits BJP, to launch new party | coastaldigest.com - The  Trusted News Portal of India

15 વર્ષની કિશોર અવસ્થામાં આરએસએસના સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા.  આઝાદી પછી તરત જ 30મી જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં નથુરામ ગોડસેની ગોળીથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા થઈ અને તેના અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તત્કાલીન ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

transfer / બદલીનો બખેડો હવે નહીં થાય, શિક્ષકોની બદલીનાં નિયમમાં મોટો ફે…

આ પ્રતિબંધ સામે દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો હતો. આ વિરોધપ્રદર્શનના ભાગરૂપે રાજકોટમાં સરઘસ કાઢવા બદલ ટુકડીના આગેવાન તરીકે કેશુભાઈ પટેલની ધરપકડ થઈ હતી. અને તેમને છ માસની જેલની સજા થઈ હતી. સજા થવાને કારણે કેશુભાઈ મેટ્રિકની પરીક્ષા આપી શક્યા નહીં. બસ ત્યાંથી તેમનો અભ્યાસ અટક્યો. કેશુભાઈ ક્યારેય કૉલેજનાં પગથીયાં ચડ્યા નહીં. 

Keshubhai Patel | DeshGujarat

કેશુભાઈનું ત્યાર પછીનું જીવન એ પ્રજાકીય સેવા અને કાર્યો માટે સમર્પિત રહ્યું. કેશુભાઈ પહેલાં દેસાઈ અટક લખતા હતા. કૉંગ્રેસ પાસે મોટાગજાના સંખ્યાબંધ પાટીદાર આગેવાનો હતા. તેની સામે પાટીદાર મતદારોને પોતાની તરફ કરી શકે તે માટે. ચીમનભાઈ શુક્લ જેવા કેટલાક ચાણક્યબુદ્ધિ નેતાઓએ કેશુભાઈની અટક દેસાઈમાંથી પટેલ કરાવી નાખી . 

ahmedabad / નીરવ રાયચુરા મહેફિલ કેસ, મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુનો નોંધાશે…

જાહેર જીવનમાં આગળ વધતાં તેઓ રાજકોટ શહેર સુધરાઈની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે વિજયી બન્યા અને તેની સાથે વિરોધપક્ષના નેતા તરીકે જનસંઘમાં કેશુભાઈનું કદ બહુ ઝડપથી વધવા માંડ્યું. 1969થી 1974 દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ તેમજ પ્રમુખના હોદ્દા પર કાર્યરત રહ્યા.

Outlook India Photo Gallery - Keshubhai Patel

સૌરાષ્ટ્રમાં જનસંઘના વગદાર આગેવાનોની જે ટીમ બની તેમાં હરિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણભાઈ મણિયાર,
ચીમન શુક્લ, સૂર્યકાંત આચાર્ય તેમજ અરવિંદભાઈ મણિયાર જેવાં નામોનો સમાવેશ કરી શકાય. 1975ની સાલ ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં મહત્વનું ટર્નિંગ પૉઇન્ટ બની. પહેલીવાર ગાંધીનગરમાં જનતા મોરચાની બાબુભાઈ પટેલની સરકાર  સરદાર પટેલ  જન્મશતાબ્દી વર્ષમાં 18મી જૂને સત્તારૂઢ બની. યોગાનુયોગ કેશુભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં  વિજયી બનીને ગાંધીનગર પહોંચ્યા અને બાબુભાઈ જશુભાઈ પટેલના મંત્રીમંડળમાં સિંચાઈ અને કૃષિવિભાગના મંત્રી બન્યા. 

આ પ્રધાનમંડળમાં કુલ 18 સભ્યો હતા અને બધા જ કૅબિનેટ મંત્રીની રેન્કમાં ત્રીજા નંબરે કેશુભાઈ પટેલ સિંચાઈ અને ખેતીવિભાગના મંત્રી તરીકે નિમાયા. બાબુભાઈ જશભાઈના મંત્રીમંડળમાં કેશુભાઈ સવદાસ પટેલ,  મકરંદ ભાઈ અને હેમાબહેન ત્રણ મંત્રીઓ જનસંઘમાંથી હતાં. જનસંઘ 1975 પહેલાં ગુજરાતમાં નહિવત્ હતો. ભાજપ તરીકેના નવા અવતારમાં ચીમનભાઈ પટેલ સાથે મિશ્ર સરકાર રચવામાં સફળ થયો. જેમાં કેશુભાઈ પટેલનું સ્થાન બીજા નંબરનું હતું. અને તેઓ નર્મદા જળસંપતિવિભાગના મંત્રી હતા.

HDH Pramukh Swami Maharaj's Vicharan, Junagadh, Gondal, Dangara, Rajkot,  Gadhada

14 માર્ચ 1995ના રોજ રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર આવી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને ગૃહખાતાનો હવાલો પોતાની પાસે રાખ્યો. ગોકુળ ગ્રામ યોજના એ ગ્રામવિકાસ માટે કેશુભાઈની જાહેર કરેલી યોજના છે. આ સરકાર પૂરો સમય રાજ્ય કરે તે સામે કોઈ અવરોધ ન હતો. ભારતીય જનતા પક્ષ પાસે 121 સભ્યો હતા. પણ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ભાજપમાં બળવો થયો. 
અને 21 ઑક્ટોબર 1995ના રોજ કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું. તેમના અનુગામી તરીકે સુરેશ મહેતાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ વ્યવસ્થા પણ લાંબુ ના ચાલી અને 23 ઑક્ટોબર 1996ના રોજ શંકરસિંહ વાઘેલાની આગેવાની નીચે સરકાર રચાઈ. 

Keshubhai begins fresh campaign against Modi - india - Hindustan Times

શંકરસિંહ વાઘેલાની મહાગુજરાત રાષ્ટ્રીય જનતા પાર્ટીને કૉંગ્રેસે ટેકો આપ્યો. આ વ્યવસ્થા પણ લાંબું ન ચાલી. 27 ઑક્ટોબરના રોજ દિલીપભાઈ પરીખના વડપણ હેઠળ ફરી પાછી નવી સરકાર આવી. માત્ર બે મહિના જેટલા ટૂંકા ગાળામાં 24 ડિસેમ્બર, 1997ના રોજ સરકારે વિધાનસભાના વિસર્જનનો પ્રસ્તાવ મંજૂર કર્યો. 28 ઑક્ટોબર 1998ના રોજ વિધાનસભાની ચૂંટણી થઈ, જેમાં ભાજપના 117 ધારાસભ્યો ચુંટાઈ આવ્યા. અને કેશુભાઈ પટેલ ફરી 4 માર્ચ 1998 ના રોજ મુખ્યમંત્રી બન્યા.

Narendra Modi surprises rival Keshubhai by seeking his blessings - Assembly  Elections 2012 News

કેશુભાઈની તકદીર કહો કે વિધિની વક્રતા આ વખતે પણ એમણે પોતાની ટર્મ પૂરી ન કરી. 3 ઑક્ટોબર 2001ના રોજ તેમણે રાજીનામું આપ્યું. અને નરેન્દ્ર મોદી ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા.