Not Set/ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી અને એન.એસ.એસ.ના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી ધ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat
12 નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી અને એન.એસ.એસ.ના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

નશાબંધી પર વક્તૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગોધરા શહેરની પ્રખ્યાત એવી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી ધ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરના એન.એસ.એસ., એન.સી.સી. અને સ્પોર્ટસમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોવિડ-૧૯ ના નીતિ નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સુનીલ કુમાર, IAS કેડરના અધીકારી, નશાબંધી અને આબકારી ખાતું ગાંધીનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ખુબ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લઈ નશાબંધી સ્પર્ધાને સફળ બનાવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ સુંદર વ્યાખ્યાન રજૂ કર્યુ હતું.જેમાં પ્રથમ ક્રમે પટેલ સોનાલી, દ્વિતીય ક્રમે અર્ચના ઠાકોર અને તૃતીય ક્રમે નિતિશ વિનોદ રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પણ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડો. શ્યામ સુંદર શર્મા, મેડીકલ એસોસિએશન, ગોધરા પણ હાજર રહયા હતા. ડો. સુરેશ ચૌધરી અને હંસાબેન ચૌહાણે પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

આ વકતૃત્વ સ્પર્ધા ના જજ તરીકે શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના ડો. મીલનબેન લાકડાવાલા અને લો કોલેજ ગોધરાના ડો.કૃપા જયસ્વાલ ખાસ સેવા આપી હતી. એન.એસ.એસ.ના સ્વયં સેવકો દેવેન્દ્ર પરમાર અને તેમની ટીમ દ્વારા આયોજનના ભાગરૂપે સુંદર કામગીરી કરી હતી. આ કાર્યક્રમમાં આભાર વિધી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો. રુપેશ નાકર આસી. પ્રોફેસર બોટની અને એન.એસ.એસ. પી.ઓ. તથા હંસાબેન ચૌહાણ, સ્પોર્ટ્સ પીટીઆઈ અને એન.એસ.એસ. પી.ઓ. દ્વારા કરવામાં આવ્યું હતુ.આચાર્ય ડો.એમ.બી.પટેલ એ તમામ વિદ્યાર્થીઓ તેમજ આયોજકોને આ કાર્યક્રમ માટે શુભકામના પાઠવી હતી.