ગીર સોમનાથ/ પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે અને પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો..

Gujarat Others
YouTube Thumbnail 99 2 પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. કોડીનારના દુદાના ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાના વોટ્સએપના માધ્યમથી માહિતી મળી હતી. પાંચ દીકરી અને એક પુત્રના પિતાના પિતાનું મોત થતાં પરિજનો પર આભ ફાટ્યું છે. પરિવારજનો એ મૃતદેહ માદરે વતન લાવવા કરી માંગ કરાઈ છે.

પાકિસ્તાન જેમમાં અનેક ભારતીય માછીમારો સબડી રહ્યા છે. જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે અને પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે.

કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું અવસાન થયું છે જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયું છે. ત્યારે વાત જાણ એમ છે કે પાકિસ્તાન જેલમાં કોડીનાર તાલુકા ના વિઠલપુર ગામના માછીમાર હરિભાઈ મૃતક ભૂપતભાઈ જીવાભાઈ વાળા સાથે કરાચીની જેલમાં સબડી રહ્યા છે. જેમણે જેલમાંથી એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી પાકિસ્તાનથી કોઈ પાસે ભૂપત ભાઈના પરિજનોના મોબાઈલમાં watshsp કરાવી. જેમાં લખ્યું છે કે તમારી ચિઠ્ઠી ભૂપતભાઈ ને 6 તારીખના રોજ મળી હતી અને એ વાચી હતી. પરંતુ 8 તારીખે રાત્રે તેને શ્વાસ ની તકલીફ થતા અમે અહીથી મોટી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યા 9 તારીખે તેમને અંતિમ શ્વાસ લીધો છે.

જોકે પાકિસ્તાન જેલમાં હજુ પણ અનેક ભારતીય માછીમારો સંબડી રહ્યા છે અને ત્યાં પૂરતો ખોરાક અને દવા ન મળવાના કારણે માછીમાંરો બીમાર પડતા હોવાનું મુક્ત થઈ આવતા માછીમારો એ અનેક વખત કહ્યું છે. ત્યારે હજુ બે મહિનપહેલાજ કોડીનાર નાનાવડા ગામના માછીમારનું મોત થતા મૃતદેહ વતન લવાયો હતો અને તેમના પહેલા કોટડા ગામના માછીમાર નો મૃતદેહ પણ લવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું


આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી