અમદાવાદ
અમદાવાદના જુદાજુદા 20 સ્થળ પર 21 જેટલા પ્રચંડ શ્રેણિબધ્ધ બોંબ વિસ્ફોટ કાંડની ભયાનક ઘટનાના 10 વર્ષ પુરા થયા છે. શ્રેણિબધ્ધ રીતે 21 જેટલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 240 લોકો ઘવાયા હતા.
પ્રચંડ બોંબ વિસસ્ફોટ કાવતરું પાર પાડવાના કાવતરામાં સંડોવાયેલા 82 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. જ્યારે 17 આરોપીની હજુ શોધખોળ ચાલુ છે. બે આરોપી આતંકી મધ્યપ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.
નજર કરીએ શ્રેમીબધ્ધ બોંબ વિસ્ફોટ કાંડની ઘટના પર…..
તા.26 જુલાઈ 2008
અમદાવાદમાં થયા હતા પ્રચંડ શ્રેણિબધ્ધ બોંબ વિસ્ફોટ
20 સ્થળ પર કરાયા હતા 21 પ્રચંડ બોંબ વિસ્ફોટો
56 નિર્દોષ લોકોના થયા હતા મોત-240 લોકો ઘવાયા હતા
અમદાવાદના બે હોસ્પિટલમાં પ્લાન્ટ કર્યા હતા બોંબ
સુરતમા 15 બોંબ કરાયા હતા પ્લાન્ટ
સર્કિટમાં ખામી હોવાથી એકપણ બોંબનો વિસ્ફોટ ન થયો
અમદાવાદ પોલીસની 8 ટીમ દ્વારા કરાઈ તપાસ
બોંબ બ્લાસ્ટ કેસમાં 1054 સાક્ષી
150 સાક્ષીની ઉલટ તપાસ હજુ બાકી
કોર્ટમાં માત્ર 7 સાક્ષી થયા હોસ્ટાઈલ
બોંબ વિસ્ફોટકાંડના સુત્રધાર સહિત 82 આરોપી ઝડપાઈ ચુક્યા છે
બોંબ બ્લાસ્ટ કાંડ કેસમાં 17 આરોપી વોન્ટેડ
2 આતંકવાદીઓ ભોપાલ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા
1 આરોપી બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
3 આરોપી પાકિસ્તાન ભાગી છુટ્યાનું બહાર આવ્યું
માત્ર 15 જ દિવસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો
પોલીસ ટીમને 51 લાખના ઈનામની જાહેરાત કરાઈ હતી
આતંકવાદીઓએ સાબરમતી જેલમાં ખોદી હતી 213 ફુટ લાંબી સુરંગ
આતંકવાદીઓએ જંગલોમાં લીધી હતી તાલીમ
વાઘમોન અને પાવાગઢના જંગલોમાં લીધી હતી તાલીમ