Not Set/ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી,દોષિતોને મળશે આકરી સજા

અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટને લઈને સ્પેશયલ કોર્ટ આજે દોષિતોને સજા સંભાળાવી શકે છે,ત્યારે કોર્ટે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા

Top Stories Gujarat
2 13 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી,દોષિતોને મળશે આકરી સજા

અમદાવાદ  એક પછી એક 21 સિરિયલ કરીને આતંકીએ અમદાવાદમાં આતંક મચાવ્યો હતો. અને 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. એ દિવસ હતો 26મી જુલાઇ 2008નો, શનિવારનો એ ગોઝારો દિવસ. કેટલાક નિર્દોષ નાગરિકો માટે રક્તરંજિત સાબિત થયો.

અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટને લઈને સ્પેશયલ કોર્ટ આજે દોષિતોને સજા સંભાળાવી શકે છે,ત્યારે કોર્ટે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા,ત્યારે કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થયો છે.સાથે રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે..ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો

9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૮  આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી.સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માંગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા.. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી.. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.જેમાં ભરૂચમાંથી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. બુધવારે આ કેસમાં આરોપીઓને સજા થશે.. જે પોલીસની કામગીરીની તો સફળતા છે જપરંતુ સાથે-સાથે 14 વર્ષે ન્યાયની રાહત જોતા પરિવારો માટે પણ ખુશીની વાત છે