અમદાવાદ,
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વતન જઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી હતી. તેમણે વતન જઈ રહેલા લોકોને પાછા જવાનું કારણ પુછ્યું હતું અને શહેરમાં તેમને કોઈ પણ પ્રકારનું જોખમ ન હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયોના પલાયન વચ્ચે અમદાવાદના કલેક્ટર પોલીસ કાફલા સાથે કાલુપુર સ્ટેશન દોડી આવ્યા હતા. અહીં તેમણે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.
અમદાવાદ સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર અશોક કુમારે જણાવ્યું કે, અમદાવાદ પોલીસની અપીલ છે કે તમે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપ જો કોઈ અફવા ફેલાવે છે તો તમે અમદાવાદ શહેર પોલીસનો તાત્કાલિક સંપર્ક સાધે. અમદાવાદ શહેરમાંથી એક પણ પરપ્રાંતિયએ શહેર છોડ્યું નથી.
જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેને છોડવામાં આવશે નહીં. અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી. અમદાવાદ શહેર સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી