અમદાવાદ,
અમદાવાદ આરટીઓના અધિકારીઓની લાલીયાવાડીને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે મહીનાથી આરટીઓમાં સરવર ડાઉન હોવાને કારણે ઓનલાઈન પેમેન્ટ ન થતા અરજદારોને રોજ બરોજ આરટીઓના ધક્કા ખાવા પડે છે.
1 સપ્ટેમ્બરથી આરટીઓમાં આવતા અરજદારોને દિવસભર લાઇનમાં ઉભા રહી છે. તેમ છતાં પણ કામ પાર પડતું નથી. મંતવ્ય ન્યુઝની ટીમે સીનીયર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે વાતચીત કરી હતી.
ઈન્સ્પેક્ટર દ્વારા આ વાતને છાવરવામાં આવી હતી અને કહ્યું હતું કે સરવર ચાલુ જ હોય છે માત્ર ક્યારેક ક્યારેક સરવર ડાઉન હોવાના કારણે સરવર બંધ થઈ જાય છે.