Covid-19/ અમદાવાદીઓ ચેતી જજો! કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત ઉછાળો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પૂર્ણ થયા બાદ રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઉછાળો થઇ રહ્યો છે.

Ahmedabad Gujarat
Mantavya 100 અમદાવાદીઓ ચેતી જજો! કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત ઉછાળો
  • અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો
  • કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા
  • વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
  • ઓઢવ, જોધપુર અને સેટેલાઇટમાં કન્ટેનમેન્ટ ઝોન
  • શહેરમાં 41 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બન્યા અમલી
  • મનપા દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પૂર્ણ થયા બાદ રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઉછાળો થઇ રહ્યો છે. ગઇ કાલે કોરોનાનાં કેસ 500 થી ઉપર નોંધાયા હતા, જ્યારે અમદાવાદની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?

અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો થતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. ઓઢવ, જોધપુર અને સેટેલાઇટ આ ત્રણ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. શહેરમાં 41 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે મનપા દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે.

Corona effect / મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં વધ્યા કોરોનાનાં કેસ , વેક્સિન બાદ લોકોમાં વધી બેદરકારી

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતા સરકારે કહ્યું કે, અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં ચાર સ્ટ્રેન, બ્રાઝિલનાં બે સ્ટ્રેન અને યુકેનાં કોરોના સ્ટ્રેનનાં 187 કેસ અહીં મળી આવ્યા છે. આઇસીએમઆર ડીજી બલારામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાથી આવતા ચાર લોકોમાં દક્ષિણ આફ્રિકાનાં સ્ટ્રેન મળી આવ્યા છે. બધા મુસાફરો અને તેમના સંપર્કોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ