જ્યારે AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા વારાણસીના જ્ઞાનવાપી સંકુલના સર્વે રિપોર્ટ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે હિન્દુ પક્ષના મુખ્ય વકીલ સોહન લાલ આર્યએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, બેફામ નિવેદનો કરવાનું બંધ કરો નહીંતર બાબા તમને ભસ્મીભૂત કરી દેશે.
This wouldn’t stand academic scrutiny before any set of professional archaeologists or historians. The report is based on conjecture and makes a mockery of scientific study. As a great scholar once said “ASI is the handmaiden of Hindutva“ https://t.co/vE76X1uccM
— Asaduddin Owaisi (@asadowaisi) January 25, 2024
ઓવૈસીએ પોતાના એક્સ હેન્ડલ પરથી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વે રિપોર્ટ પર ટિપ્પણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર અહેવાલ અનુમાન પર આધારિત છે અને એએસઆઈને પણ નિશાન બનાવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, આ અહેવાલ વ્યાવસાયિક પુરાતત્વવિદો અથવા ઈતિહાસકારોના કોઈપણ જૂથ દ્વારા શૈક્ષણિક તપાસનો સામનો કરશે નહીં. અહેવાલ અનુમાન પર આધારિત છે અને વૈજ્ઞાનિક અભ્યાસોની મજાક ઉડાવે છે. જેમ કે એક મહાન વિદ્વાન એક વખત કહ્યું હતું કે, ‘ASI હિંદુત્વનો હાથવગો છે.