by Maharashtra/ વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ થયું છે

Top Stories India
White Minimalist And Natural Travel YouTube Thumbnail 1 વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત

Maharashtra News : ભારતીય વાયુસેનાનું સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટ આજે મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ થયું છે. આ એરક્રાફ્ટ રિનોવેશન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે હતું. વિમાનના બંને પાયલોટ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે. સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી છે, નાસિક રેન્જના વિશેષ મહાનિરીક્ષક ડીઆર કરાલેના જણાવ્યા અનુસાર, સુખોઈ Su-30MKI વિમાનના પાયલટ અને સહ-પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. વિમાન શિરસગાંવ ગામ પાસે એક ખેતરમાં પડ્યું હતું. એચએએલ અને ભારતીય વાયુસેના દ્વારા અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Sukhoi-30 MKI એ રશિયન મૂળનું ટ્વીન-સીટર ટ્વીન એન્જિન મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તે 8,000 કિલોના બાહ્ય શસ્ત્ર સાથે એક x 30 mm GSh બંદૂક લઈ જવા સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે 260 થી વધુ સુખોઈ-30 MKI છે. તે કોઈપણ પ્રકારના હથિયારથી સજ્જ થઈ શકે છે. આ વિમાનોને વર્ષ 2002માં વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા. સુખોઈ-30 હવાથી જમીન અને હવાથી હવામાં વારાફરતી લક્ષ્યો પર હુમલો કરી શકે છે. આ એરક્રાફ્ટ સૌથી શક્તિશાળી ફાઈટર પ્લેનમાંથી એક છે. સુખોઈ-30 MKI 3,000 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક.ને હતો ભારતનો ડર! આ કારણે પરમાણુ નીતિ બનાવી ન શક્યું…

આ પણ વાંચો:ભારતે ઇઝરાયેલને મોકલ્યા 27 ટન વિસ્ફોટકો તો પાકને કારગિલની આવી યાદ

આ પણ વાંચો:બિડેનની યુદ્ધવિરામ સલાહથી નારાજ નેતન્યાહૂ,આપી ધમકી