બિહારમાં છેલ્લા ઘણા સમયથી બર્ડ ફ્લુના લીધે નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવી રહ્યો છે. બર્ડ ફ્લુનો વાયરસ ઘણા જીલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ વાયરસના લીધે અત્યાર સુધી ૫૦૦ પક્ષીઓના મૃત્યુ થયા છે. સરકારે એક નિયંત્રણ સેલ પણ બનાવી દીધો છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યમાં એવી મેડીકલ કોલેજ નથી કે જ્યાં એચ5એન1 વાયરસની તપાસ થઇ શકે.
બિહારમાં ૯ મેડીકલ કોલેજ છે પરંતુ ક્યાય આ વાયરસની તપાસ નથી થતી. રાજધાની પટનાના પીએમસીએચમાં પણ રીયલ ટાઇમ પીસીઆર મશીન નથી.
દરભંગામાં ડીએમસીએચમાં વર્ષ ૨૦૧૩માં તપાસ માટે આ મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ ઘણા વષો સુધી તે ખરાબ હાલતમાં પડી રહ્યું. કોઈ આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યું.એટલું જ નહી પરંતુ વાયરસની તપાસ માટે પુણે અને ભોપાલની લેબમાં સેમ્પલ મોકલવામાં આવે છે.