સમાજવાદી પાર્ટીના નેતાએ અખિલેશ યાદવે ગઠબંધનની અટકળોના વિવાદને વધુ હવા આપી છે. SP નેતા અખિલેશ યાદવે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી સાથે હાથ મીલાવી રહ્યા છે. આ ફોટોમાં કેપ્શન આપતા તેમણે લખ્યું કે રાષ્ટ્રીય લોકદળ અને સપા પાર્ટીએ ગઠબંધન કર્યું છે તમામને અભિનંદન. આ સાથે બંને પક્ષના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા જીત મેળવવા એકજૂટ થવા કહ્યું. બંને પક્ષો આ ગઠબંધન હેઠળ સંભવત આગામી લોકસભા ચૂંટણી લડશે. અખિલેશ યાદવની આ પોસ્ટ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી લોકસભા ચૂંટણી તેઓ કોંગ્રેસ વગર જ લડવાની તૈયારી કરી રહ્યા છે.
અખિલેશ યાદવની આ પોસ્ટ પર રાષ્ટ્રીય લોકદળના ચીફે લખ્યું બંધારણીય મૂલ્યોની રક્ષા માટે હંમેશા તૈયાર, અમારા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમના વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે કદમથી આગળ વધે! સપા પ્રમુખની આ સોશિયલ મીડિયા પોસ્ટ સૂચવે છે કે કોંગ્રેસ સાથે સપાની વાતચીત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. આ મહિને સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બે રાઉન્ડની બેઠક થઈ છે.
સપાએ કોંગ્રેસને તે બેઠકો અને ઉમેદવારોની યાદી માંગી છે જ્યાં તે ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસે ઓછામાં ઓછી 28 બેઠકોની યાદી એસપીને સોંપી છે. આમાં તે બેઠકોનો સમાવેશ થાય છે જે 2009ની સામાન્ય ચૂંટણીમાં જીતી હતી.યુપીમાં 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી. પાર્ટી તે બેઠકો પર પણ પોતાનો દાવો દાખવવાનો પ્રયાસ કરી રહી છે જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ રહી છે.
કોંગ્રેસના યુપી એકમના નેતા અજય રાયે પહેલેથી જ કહ્યું છે કે જો વસ્તુઓ કામ નહીં કરે તો પાર્ટી તમામ 80 બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકારને હરાવવા દેશના અન્ય પક્ષો સાથે INDIA ગઠબંધન હેઠળ જોડાણ કર્યું. આ INDIA ગઠબંધનમાં અખિલેશ યાદવની એસપી પાર્ટી, એનસીપી, આપ પાર્ટી અને મમતાની તૃણમૂલ પાર્ટી જેવા ભાજપના દેશના મોટાભાગના વિરોધ પક્ષો સાથે આવ્યા હતા. પરંતુ એક પછી એક પાર્ટી આ ગઠબંધનથી અલગ થઈ રહી છે. તેમજ મિલિંદ દેવરા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો