રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે રાજકોટમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગરો અનલોક કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રાથમિક તબક્કે તેનો લાભ જાહેર જનતાને મળી શકશે નહીં.
RMC સંચાલિત તમામ સ્નાનાગારો શિખાઉ સભ્યો માટે તા.૨૩ થી અનલોક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણેકોવિડ ૧૯ની તાજેતરની માર્ગદર્શિકા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.૨૩/૦૭/૨૦૨૧થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. હાલ નોન ચિલ્ડ્રન કેટેગરીમાં ફકત જાણકાર સભ્યો તથા ડાઇવીંગ કેટેગરીના શિખાઉ સભ્યો માટેની બેચો જ શરૂ થશે.
આવતીકાલથી રજીસ્ટ્રેશન ચાલુ
આ અંગેનું રજીસ્ટ્રેશન તા.૨૧/૦૭/૨૦૨૧, બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાનીવેબસાઇટ www.rmc.gov.in પરથી,તા.૨૨/૦૭/૨૦૨૧ થી નજીકની વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરો ખાતેથી કરી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.