Not Set/ કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવાને સહાય લેવા માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા..

ન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સત્વરે સહાય મળી રહે એ હેતુસર સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ  તૈયાર કર્યુ છે

Gujarat
2 2 કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવાને સહાય લેવા માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા..

વૈશ્વિક મહામારીકોરોનાના કારણે રાજયમા જે લોકોમાં મૃત્યુ થયા છે. તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સત્વરે સહાય મળી રહે એ હેતુસર સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ  તૈયાર કર્યુ છે, જેનું લોન્ચિંગ આજે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તકે કરવામાં આવ્યુ છે. આ મોબાઈલ ફ્રેન્ડલી પોર્ટલનું લોન્ચિંગ કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.

ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કોરોનામાં મરણ થયેલી વ્યક્તિના વારસદારને રૂ. 50,000 હજારની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસૂલ વિભાગ  દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના  તારીખ 28 નવેમ્બર 2021ના ઠરાવ પ્રમાણે કોવિડ-19ના કારણે મૃત્યુના કોઇપણ એક પુરાવા જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના પુરાવા, ફોર્મ-4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે. આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે. કરેલી અરજી અન્વયે 30 દિવસમાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા  કોરોના મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે સંદર્ભે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ઓફલાઇન ફોર્મ ભરવાની કામગીરી યથાવત જ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનેક મૃતકના પરિવારજનોને આર્થિક સહાય પ્રાપ્ત પણ થઈ ચૂકી છે, જ્યારે ઓનલાઇન સહાય લોકોને કોઇ પ્રકારની હાલાકી ન પડે તેને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવી છે.