ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 13 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી સતત પડી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે. જેના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 13 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીનું જળસ્તર ઘટ્યા બાદ સોમવારે બપોરે લગભગ 12 કલાક બાદ મુંબઈ-અમદાવાદ રૂટ પર ટ્રેન વ્યવહાર પુન: શરૂ થયો હતો. રાજ્યમાં ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, અંકલેશ્વર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં 10 NDRF અને 10 SDRF ટીમો તૈનાત છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગરમાંથી 9.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138 મીટરે ભરાઈ ગઈ છે. રવિવારે ડેમના 30માંથી 23 દરવાજા ખોલીને 5.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદા જિલ્લાની આસપાસના ગામોમાં પાણી ભરાયા હતા. 12,644 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આઠ જિલ્લામાંથી કુલ 12,644 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ ટીમ દ્વારા 18 શિશુઓ, 15 બાળકો, 61 મહિલાઓ અને 112 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
12 કલાક બાદ ટ્રેન સેવા શરૂ થઈ
પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો વચ્ચે ખતરાના નિશાનથી ઉપર વહી રહેલી નર્મદા નદીનું જળસ્તર ઘટ્યા બાદ લગભગ 12 કલાક બાદ સોમવારે બપોરે મુંબઈ-અમદાવાદ રૂટ પરનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ થયો હતો. રવિવારે રાત્રે લગભગ 11.50 વાગ્યે પુલ નંબર 502 પર નર્મદા નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી જતાં મુંબઈ-અમદાવાદ રૂટના વડોદરા સેક્શન પર ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ગાંધીનગર/રાજ્યના 8 જિલ્લામાં 12 હજાર 644 લોકોનું કરાયું સ્થળાંતર
આ પણ વાંચો :Gujarat flood/તાપી નદીમાં પાણી છોડાયું, ઘુઘવાટા મારતી સૂર્યપુત્રીનો અદભૂત નજારો ડ્રોનમાં કેદ થયો
આ પણ વાંચો :સુરત/ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે 158 લોકોનું કરાયું સ્થળાંતર