New Delhi/ અમેરિકાએ ભારતમાં રદ કરી 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ , જાણો આ પાછળનું કારણ

મળતી માહિતી મુજબ, વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો પ્રકાશમાં આવી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories India Breaking News

New Delhi : અમેરિકા (America)માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના સત્તામાં પાછા ફર્યા બાદ ઘણા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. ટેરિફ મુદ્દા પરનો હોબાળો હજુ શમ્યો નથી અને ભારતમાં યુએસ એમ્બેસીએ 2,000 થી વધુ વિઝા એપોઇન્ટમેન્ટ (Visa Appointment) રદ કરી દીધી છે. આ પાછળ છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ કારણભૂત હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો પ્રકાશમાં આવી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુએસ એમ્બેસી (US Embassy)એ માહિતી આપી છે કે કેટલાક લોકો દ્વારા એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ સિસ્ટમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ બધાની તપાસ કરવામાં આવી રહી છે. યુએસ એમ્બેસીએ X પર પોસ્ટ કર્યું હતું કે કોન્સ્યુલર ટીમ ઇન્ડિયા બોટ્સ દ્વારા કરવામાં આવેલી લગભગ 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી રહી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલર ટીમ ઇન્ડિયાએ એવી વ્યક્તિઓની ઓળખ કરી છે જેમણે અમારી સમયપત્રક નીતિઓનું ઉલ્લંઘન કરીને લગભગ 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ લીધી છે. તાત્કાલિક અસરથી, અમે આ એપોઇન્ટમેન્ટ્સ રદ કરી રહ્યા છીએ અને સંકળાયેલા એકાઉન્ટ્સ માટે શેડ્યૂલિંગ વિશેષાધિકારો સ્થગિત કરી રહ્યા છીએ.

એજન્ટ સામે કેસ દાખલ

યુએસ એમ્બેસીએ વિઝા છેતરપિંડીની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે ઘણા વિઝા અને પાસપોર્ટ એજન્ટો સામે કેસ નોંધ્યો હતો . દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ એજન્ટોએ અરજદારો માટે વિઝા મેળવવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને યુએસ સરકારને “છેતર્યા” હતા. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે મે અને ઓગસ્ટ વચ્ચે, દૂતાવાસે આંતરિક તપાસ હાથ ધરી હતી અને અનેક IP સરનામાંઓ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવના આરોપથી એસ.જયશંકર ગુસ્સે થયા, જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ભારતમાં ગટર સાફ કરતા સેંકડો લોકો ગુમાવે છે જીવ, સંસદમાં રજૂ કરાયા આંકડા

આ પણ વાંચો:ભારતમાં CAA લાગુ થતાં જ પાક.માં પડ્યા પડઘા, હિન્દુ મંદિર પર થયો હુમલો અને પછી…