1 ડિસેમ્બરથી કડક અમલવારીનો આદેશ : સામાજિક અને ધાર્મિક જાહેર કાર્યક્રમોમાં પણ જરૂર પડે તો મહતમ 100ની સંખ્યામાં એકત્રિત થવાના નિર્દેશ.
દેશના જુદા જુદા ભાગોમાં કોવિડ ઇન્ફેક્શનના વધતા જતા કેસોને ગંભીરતાથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શિકા અને સાવચેતીનાં પગલાં અન્વયે કાયદાનુ પાલન તેમજ કડક અમલ કરવા જણાવ્યું છે. મંત્રાલયે બુધવારે કોવિડ સંક્રમણને રોકવા માટે દેખરેખ, પગલાં અને તકેદારી માટે માર્ગદર્શિકા જારી કરવા માટેનો આદેશ જાહેર કર્યો છે જે 1 ડિસેમ્બરથી અમલમાં આવશે.
મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ દિશાનિર્દેશોનો કડક અમલ કરવા જણાવ્યું છે. માર્ગદર્શિકામાં ભાર મૂકવામાં આવ્યો છે કે કોરોના વિરુદ્ધના અભિયાનમાં દેશ દ્વારા અત્યાર સુધીની પ્રાપ્ત સફળતાને જાળવી રાખીને તેને મજબૂત કરવા પગલાં ભરવા જોઈએ. એવો આગ્રહ કરવામાં આવ્યો છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ માર્ગદર્શિકાઓનો સંપૂર્ણ અમલ થવો જોઈએ અને ત્યાં ફક્ત ફરજિયાત સેવાઓ પ્રવૃત્તિને મંજૂરી હોવી જોઈએ. કન્ટેનટમેન્ટ ઝોનની એન્ટ્રી અને બહાર નીકળવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
ગીચ વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તહેવારો અને શિયાળાની ઋતુમાંતને ધ્યાનમાં રાખીને વિશેષ સાવચેતી રાખવા અને જિલ્લા, સ્થાનિક વહીવટ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ, ગૃહ મંત્રાલય અને કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અને કાયદા પ્રક્રિયાના અમલ માટે કહેવામાં આવ્યું છે. તેમને જવાબદાર બનાવો સામે બીપી અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે. માર્ગદર્શિકામાં રાજ્ય સરકારોને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેનારા લોકોની સંખ્યાને 100 અને મર્યાદિત કરવા જરૂરી હોય તો પણ તેનાથી પણ ઓછી કરવા જણાવ્યું છે.