રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી હાઇવે ફરીએકવાર રક્તરંજિત બન્યો છે. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પતિ-પત્ની અને બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના કુકાવાવ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઇક પર સવાર 3 ના મોત થાય હતા. જયારે અકસ્માત બાદ ટ્રક પલટી જતાં 3 ઘાયલ થયા હતા. ઇજા ગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 માઘ્યમ થી લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ અમરેલી પોલીસ ને થતા અમરેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં જુદીજુદી અકસ્માતની ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાત / અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ
ખેડૂત આંદોલન મામલો / પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન
મુંબઈ / શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી, 1ની ધરપકડ