અમરેલી,
અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા જે પાણી આરવામાં આવે તે અતિશ્ય ગંદૂ હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.. છેલ્લા 6 મહિનાથી સ્થાનિક લોકો આ મુસ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્રને રજૂઆત કરતા અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી.
આથી કહી શકાય છે કે, તંત્ર દ્વારા લોકોના આરોગ્યા સાથે ચેડા થઇ રહ્યું છે. આ વિસ્તારમાં 300 જેટલા મકાનો આવેલા છે…જેમને પીવા લાયક પાણી ન મળતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી ભયંકર રોગચાળો ફેલાઈ તે પહેલા તંત્ર દ્વારા પગલાં લેવાઈ તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.