Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના : રશિયાના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાને આપી સહાનુભુતિ

અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનાને લીધે અત્યાર સુધીમાં ૬૧ લોકોના મૃત્યુ થયા છે અને ૭૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ ઘટના અંગે જણાવ્યું  કે પંજાબમાં થયેલા દુઃખદ ટ્રેન દુર્ઘટના પર હું સંવેદના વ્યક્ત કરુ છું. હું દુર્ઘટનામાં મૃતકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરૂ છું તેમજ ઈજાગ્રસ્તો જલ્દી  સાજા થાય […]

Top Stories World Trending
trudeau putin 1 અમૃતસર ટ્રેન દુર્ઘટના : રશિયાના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાને આપી સહાનુભુતિ

અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનાને લીધે અત્યાર સુધીમાં ૬૧ લોકોના મૃત્યુ થયા છે અને ૭૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ ઘટના અંગે જણાવ્યું  કે પંજાબમાં થયેલા દુઃખદ ટ્રેન દુર્ઘટના પર હું સંવેદના વ્યક્ત કરુ છું. હું દુર્ઘટનામાં મૃતકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરૂ છું તેમજ ઈજાગ્રસ્તો જલ્દી  સાજા થાય તે માટે ભગવાનને પ્રર્થના કરુ છું.

કેનેડાના વડાપ્રધાન જસ્ટીને પણ કહ્યું હતું કે મારા વિચારો દરેક પરિવાર કે જેમણે તેમના પ્રિય વ્યક્તિ ગુમાવ્યા છે તેમની સાથે છે. ભગવાન આ કપરા સમયે બધાને હિંમત આપે અને ઘાયલ થયેલા લોકો જલ્દીથી સાજા થઇ જાય તેવી ભગવાનને મારી પ્રાર્થના.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬૧ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલાની વચ્ચે ફાટક નંબર ૨૭ નજીક થયો હતો. ઘટના જે સમયે  થઇ ત્યારે રાવણ દહન જોવા માટે લોકોની ભીડ ટ્રેક પર જમા થઇ ગઈ હતી. આ જ દરમ્યાન ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી ચાલી ગઈ હતી અને ૬૧ લોકો આંખના પલકારામાં જ મોતને ભેટ્યા હતા.

દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.

જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી છે. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે અને ઘાયલ થયેલાં તમામ લોકોને સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલમાં ફ્રી ટ્રીટમેન્ટઆપશે.

પંજાબ રાજ્ય સરકારે આજે શોક જાહેર કર્યો છે ઉપરાંત રાજ્યની તમામ ઓફિસો અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ બંધ રાખવાનું જાહેર થયું છે.