- અમદાવાદ મ્યુ.કમિશ્નરનો મહત્વનો નિર્ણય
- વધતા જતા કોરોના કેસને લઈને લીધો નિર્ણય
- AMCના કર્મીઓને સંક્રમિત થતા અટકાવવા નિર્ણય
- વર્ગ 3,4ના 50 ટકા કર્મચારીઓને જ ઓફિસ આવવા સૂચન
ગુજરાતમાં કોરોનાના કહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.દિવસેને દિવસે કોરોનાના કેસ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.આજે રાજયમાં કોરોનાના ૩૨૮૦ કેસ નોધાયા.ત્યારે આ વધતા જતા કેસને લઈને અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં AMC ના કર્મચારી સંક્રમિત થતા અટકાવવા માટે વર્ગ ૩ અને ૪ના ૫૦ ટકા કર્મચારીઓને જ ઓફિસ આવવા સુચન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત વધતા જતા કેસ ને લઈને અમદાવાદ શહેરમાં આજે સ્વામીનારાયણ મંદિર કાલાપુર અમદાવાદ બંધ રહેશે.તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા કફર્યુ અંગેનો નિર્દેશ રાજ્ય સરકારને કરવામાં આવ્યો હતો જેના પગલે લોકોમાં ભય સર્જાતા લોકો શોપિંગ મોલ્સમાં ખીરીદી માટે ઉમટી પડ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…