આણંદ,
ફરી એક વખત અમૂલ વિવાદમાં આવ્યું છે. પશુદાણ ઉત્પાદનના અધિકારીનું લાખો રૂપિયાનું કૌભાંડ આવતાં અમૂલ છાપ ખરડાઇ ગઇ છે. કમલેશ ચૌહાણ નામના અધિકારીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.સાથે કૌભાંડને લઇને અમૂલના સત્તાધિશો દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટી લાખો રૂપિયાને થયેલા કૌભાંડને લઇને તપાસ કરશે અને પાંચ જાન્યુઆરીએ કરેલી તપાસનો સૂંપર્ણ રિપોર્ટ રજૂ કરશે. ઉલ્લેખની છે કે, કમલેશ ચૌહાણ કેટલફિલ્ડ પ્લાન્ટના ઇન્ચાર્જ હતા. જેને હાલ ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.