ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં વિવિધ પ્રકારની માન્યતાઓ પ્રચલિત હોય છે. આ માન્યતાઓ પાછળ ઘણા દાવાઓ છે. કેટલીક માન્યતાઓ એટલી રસપ્રદ હોય છે કે તમે તેમના વિશે જાણવાની ઇચ્છા રાખશો તેમજ આ માન્યતાઓ વિશે જાણીને આશ્ચર્ય પણ પામશો. આજે અમે તમને આવી જ એક માન્યતા વિશે માહિતી આપી રહ્યા છીએ…
આ મંદિરના તળાવમાં શાકાહારી મગર રહે છે
કેરળનું અનંતપુર મંદિર જે કસરાગોદમાં આવેલું છે તે કેરળનું એકમાત્ર તળાવ મંદિર છે. આ મંદિર દ્વારા એવું માનવામાં આવે છે કે અહીં આ સ્થળની રખેવાળી એક મગર કરે છે. ‘બબિયા’ નામના મગર સાથે પ્રખ્યાત, આ મંદિર એક એવી પણ માન્યતા છે કે જયારે આ તળાવમાં એક મગર મરી જાય છે, ત્યારે બીજો મગર રહસ્યમય રીતે પ્રગટ થાય છે. બે એકર તળાવની મધ્યમાં બનેલું આ મંદિર ભગવાન વિષ્ણુ (ભગવાન અનંત-પદ્મનાભસ્વામી) નું છે. એવું માનવામાં આવે છે કે મંદિરના તળાવમાં રહેતો આ મગર સંપૂર્ણ શાકાહારી છે અને પુજારીઓ તેના મોંમાં પ્રસાદ મૂકી તેનું પેટ ભરે છે.
આ ‘શાકાહારી મગર’ પુજારીઓના હાથમાંથી પ્રસાદ ખાય છે
સ્થાનિક લોકો કહે છે કે તળાવનું પાણી હંમેશાં એક સરખું રહે છે, ભલે ગમે તેટલો વરસાદ ઓછો હોય. આ મગર લગભગ 60 વર્ષથી અનંતપુર મંદિરના તળાવમાં રહે છે. ભગવાનની પૂજા બાદ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતો પ્રસાદ બબીયા ને ખવડાવવામાં આવે છે. મગર ને ખવડાવવાની મંજુરી ફક્ત મંદિર મેનેજમેન્ટના લોકોને જ છે. એવું માનવામાં આવે છે કે આ મગર સંપૂર્ણ શાકાહારી છે અને તેના મોઢાંમાં મૂકી ને પ્રસાદ ખવડાવવામાં આવે છે. સ્થાનિક લોકો કહે છે કે મગર શાકાહારી છે અને તળાવના અન્ય જીવોને નુકસાન કરતું નથી.
અંગ્રેજી સૈનિકે મગરને ગોળી મારી દીધી, પરંતુ બીજા જ દિવસે તે પાણીમાં તરતો જોવા મળ્યો
એવું કહેવામાં આવે છે કે 1945 માં એક અંગ્રેજી સૈનિકે તળાવમાં મગરને ગોળી મારી હત્યા કરી દીધી હતી. પરંતુ બીજા જ દિવસે તે જ મગર તળાવમાં તરતો જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી અંગ્રેજી સૈનિકનું સાપના ડંખથી મૃત્યુ થયું. લોકો તેને સાપના દેવ અનંતનો બદલો માને છે. એવું માનવામાં આવે છે કે તમે ભાગ્યશાળી છો, તો જ તમને આ મગરની એક ઝલક જોવા મળશે. મંદિરના ટ્રસ્ટી શ્રી રામચંદ્ર ભટ્ટ જી કહે છે, “અમારો મક્કમ વિશ્વાસ છે કે આ મગર ભગવાનનો સંદેશવાહક છે અને જ્યારે પણ મંદિરના પરિસરમાં અથવા તેની આસપાસની કોઈ પણ વસ્તુ અયોગ્ય બનવાની હોય ત્યારે આ મગર આપણને જાણ કરે છે”.
આ મંદિરની મૂર્તિઓ પત્થરની નહીં પણ 70 થી વધુ દવાઓથી બનેલી છે
આ મંદિરની મૂર્તિઓ ધાતુ અથવા પથ્થરથી નહીં પરંતુ 70 થી વધુ દવાઓથી બનેલી છે. આ પ્રકારની મૂર્તિઓને ‘કડુ શિર્ક યોગમ’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, 1972 માં, આ મૂર્તિઓનું સ્થાન પંચાલોહ ધાતુ શિલ્પોથી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમને ‘કડુ શિર્ક યોગમ’ તરીકે ફરીથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મંદિર તિરુવનંતપુરમના અનંત-પદ્મનાભસ્વામીનું મૂળ સ્થાન છે. સ્થાનિક લોકો માને છે કે ભગવાન અહીં આવ્યા અને તેની સ્થાપના કરી.
રાજકોટ / રાજકોટમાં ફાયરસેફ્ટી વિભાગ લાલઘૂમ, એનોસી રીન્યુ કરાવવા આ 20 …
Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…
Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…