આંધ્રપ્રદેશની જગન મોહન રેડ્ડી સરકારે વિધાનસભામાં વિધાન પરિષદ વિસર્જન કરવાનો ઠરાવ પસાર કર્યો છે. ત્યારબાદ વિધાનસભા દ્વારા આ મામલે આગળની વધુ પ્રક્રિયા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલશે. પ્રસ્તાવ પસાર થયા બાદ ગૃહને વિસર્જન કાળ સુધી સ્થગિત રાખવામાં આવ્યું છે.
આંધ્ર પ્રદેશની વિધાન પરિષદમાં 58 સભ્યોની કાઉન્સિલમાં વાયએસઆર કોંગ્રેસ 9 સભ્યો સાથે લઘુમતીમાં છે. તેમાં વિરોધી તેલુગુ દેશમ પાર્ટીના 28 સભ્યો છે. વિપક્ષી સભ્યોની 6 વર્ષની મુદત પૂરી થાય, ત્યારે જ શાસક પક્ષ 2021 માં ગૃહમાં બહુમતી મેળવી શકશે.
હકીકતમાં, જગનમોહન રેડ્ડીની સરકાર ગયા અઠવાડિયે રાજ્યના વિધાનસભાના ઉચ્ચ ગૃહમાં રાજ્યમાં 3 રાજધાનીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ પછી આ પગલું લેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.