અંકલેશ્વર,
અંકલેશ્વર નગરપાલિકા વિરોધપક્ષના નેતા તેમજ વિરોધ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકા બોર્ડ મિટિંગમા મચ્છરદાની પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો.
ડેન્ગ્યુ, ચિકન ગુનિયા મેલેરિયા ટાઇફોઇડ જેવા અનેક રોગો ઝડપથી અંકલેશ્વર શહેરમાં ફેલાય રહ્યા છે જેના કારણે લોકો પુષ્કળ પ્રમાણમાં બીમારીનો સામનો કરી રહ્યા છે શહેરની હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલીકા તેમજ વહીવટીતંત્ર સતત નિષ્ફળ નિવડયું છે.