દેશમાં કોરોના મહામારી માટે સતત ચોથા દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. ફરી એક વખત બે લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.જ્યારે ચાર દિવસમાં પોણા સાત લાખ કરતા વધારે લોકો કોરોના મુક્ત થયા છે.સોમવારે રાત્રે 12 કલાક સુધીમાં દેશમાં 3.18 લાખ નવાકેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના કેસને લઈને રાહતનું વધુ એક ઇનપુટ પ્રાપ્ત થઈ રહ્યું છે. 24 કલાકમાં 2.45.લાખ લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોના મુક્ત બન્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી રેટ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3.18 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે કોરોના સક્રિય દર્દીઓ 28.75 લાખ નોંધવામાં આવ્યા છે.નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 28.75 લાખને પાર પહોંચ્યો છે. તેની સામેસતત બીજા દિવસે 2700થી વધુના મોત નિપજ્યા છે.
મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબમહારાષ્ટ્રમાં સર્વાધિક 48,700 નવા કેસ નોંધવામાં આવ્યા છે.આમ છતાં લોક ડાઉન બાદ રિકવરીમાં ઘણો વધારો થયેલો હોવાનું જોવા મળ્યું છે.મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળો જોવા મળ્યો છે તેમજ નવા કેસ કરતા થયેલા દર્દીઓની સંખ્યા વધારે 71,736 જોવા મળી છે.
અન્ય રાજયોના આંકડા પર નજર કરીએ તો નવા કેસનો આંકડો ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 33,551 દિલ્હીમાં 20,201, કોરોનાગ્રસ્તની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કર્ણાટક 29,744, છત્તીસગઢ 15,084, મધ્યપ્રદેશ 12,686, કેરળ 21,890, ગુજરાત 14,340, તમિળનાડુ 15,684, બિહાર 11,801 , જ્યારે હરિયાણામાં 11,504 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ 15,992 સહિતના 12 રાજ્યોમાં રોજ ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.