Bad news/ સીરિયલમાં ‘અનુપમા’ નહીં જોવા મળે થોડો સમય, આ કારણે લઈ શકે છે બ્રેક

ભારતના ઘણા ભાગોમાં કોરોના સતત પગ ફેલાવી રહ્યો છે અને તેની સૌથી વધુ અસર મુંબઈ પર પડી રહી છે. અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં અવી ચુક્યા છે.

Trending Entertainment
A 25 સીરિયલમાં 'અનુપમા' નહીં જોવા મળે થોડો સમય, આ કારણે લઈ શકે છે બ્રેક

ભારતના ઘણા ભાગોમાં કોરોના સતત પગ ફેલાવી રહ્યો છે અને તેની સૌથી વધુ અસર મુંબઈ પર પડી રહી છે. અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં અવી ચુક્યા છે. આલિયા ભટ્ટ,મોનાલીસા અને ફાતિમાને આજે કોરોનાથી ચેપ લાગ્યો છે ત્યારે સ્ટાર પ્લસ પર પ્રખ્યાત શો ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, હકીકતમાં રૂપાલી કોરોનાના ભોગ બની છે અને તેને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પોતે આપી છે.

શુક્રવારે સવારે ટીવીના નંબર વન શો અનુપમાની મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલી પોઝિટીવ આવી છે. આપને જણાવી દઈએ કે, રૂપાલી આ શોમાં મુખ્ય પાત્ર એટલે કે અનુપમાની ભૂમિકા નિભાવી રહી છે. અનુપમાએ ખુદ તેના સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે. તેણે લખ્યું ‘યે ક્યાં હુઆ, કયું હુઆ જબ હુઆ તબ હુઆ…. છોડો તુમ ણા પૂછો… યે ઉસ તરહ કા પોઝિટીવ નહીં હૈ જેસા મેં ચાહતી થી. સભી લોગ અપના ખ્યાલ રખે ઓર અપની અનુપમા પર પ્યાર બરસાતે રહે. મુજે પતા નહીં યે કેસે હો ગયા. મેરે ઘરવાલો કા ભી ટેસ્ટ હુઆ હૈ, સબકે પરિણામ કા ઇન્તજાર હો રહા હૈ.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને પરિવાર સાથે મુકવી કોરોના રસી, પોસ્ટ શેર કરી અભિષેક વિશે કહ્યું આવું…

અનુપમા શો વિશે વાત કરીએ તો આશિષ પણ થોડા દિવસો પહેલા પોઝિટીવ જોવા મળ્યો હતો અને આજે રૂપાલી નો રિપોર્ટ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલીમાં કોઈ ખાસ લક્ષણ જોવા મળી રહ્યા નથી.

મળતી માહિતી મુજબ અનુપમની ટીમના અન્ય લોકો પર પણ કોરોના ટેસ્ટ કરાયો છે, તેમના અહેવાલની રાહ જોવાઇ રહી છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અનુપમાનો બીજો પુત્ર પારસ કલનાવત પણ આ શોમાં પોઝિટીવ જોવા મળ્યો હતો, તે હાલમાં આઇસોલેશનમાં છે.

આ પણ વાંચો :મલાઈકા અરોરાએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ, પોસ્ટ કર્યો આ ખાસ મેસેજ

પારસ સેટ પર પાછો ફર્યો અને નિર્માતાઓએ તેનો ભાગ શૂટ કર્યો પરંતુ ગયા અઠવાડિયે તેની સાથે એક દુ:ખદ ઘટના બની. હાર્ટ એટેકથી તેના પિતાનું નિધન થયું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં અનુપમાના પતિની ભૂમિકા નિભાવનારા સુધાંશુ પાંડેને પણ કોરોનાથી ચેપ લાગ્યો છે. જોકે નિર્માતા રાજન શાહી અને તેની ટીમ આગળના એક્શનની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો :‘તારક મહેતા કા…’ ના જેઠાલાલે લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ, ચાહકોને કરી આ અપીલ