રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજુરી આપ્યા બાદ આ ન્યાયાધીશોની નિયુક્તી અને બદલી કરવામાં આવી છે.સુપ્રિમ કોર્ટની કોલેજીયમે દેશની હાઇકોર્ટના અનેક ન્યાયમૂર્તિઓની બદલી કરી છે અને તેમાં વિવાદમાં ફસાયેલા આંધ્ર પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિનો સમાવશે થતાં નવો વિવાદ સર્જાવાની ધારણા છે તથા કોલેજીયમે નિર્ણયમાં પારદર્શકતાની માંગણી કરી છે.
માવઠું / રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે આ ક્ષેત્રોમાં આજે અને આવતી કાલે આ…
જેમાં આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રીના આક્ષેપનો ભોગ બની ચૂકેલા મુખ્યન્યાયમૂર્તિ જીતેન્દ્રકુમાર માહેશ્ર્વરીને ઓછા મહત્વના ગણાતા સીક્કીમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરાયા છે. જ્યારે સીક્કીમના મુખ્ય ન્યાયમુર્તિ અરૂપકુમારને આંધ્ર પ્રદેશમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરાયા છે. રાજ્યના મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા જીતેન્દ્રકુમાર સામે છેક સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરી હતી તો બીજી તરફ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટના એક ન્યાયમૂર્તિએ કોલેજીયમના નિર્ણય પારદર્શકતા માંગીને નવો વિવાદ છેડયો છે.
Flight / 8 જાન્યુઆરીથી ભારત અને બ્રિટન વચ્ચે ફલાઈટ પુનઃ શરૂ…
જસ્ટીસ રાજેશકુમારએ એક આદેશમાં સુપ્રિમ કોર્ટના કોલેજીયમ દ્વારા બદલીના આદેશમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બદલી કરવામાં આવી છે તેની સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. જો કે કોલેજીયમે મ .પ્રદેશ, કોલકતા, તેલંગણા, ઓડીસા, જમ્મી કાશ્મીર તથા મદ્રાસ અને ઉત્તરાંખડના ન્યાયમૂર્તિની બદલી કરી છે જેમાં મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વિનીત કોઠારીને ગુજરાત હાઇકોર્ટમાં નિયુક્તિ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ગઇકાલે આ બદલીને મંજુરી આપી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…