ગાંજા જેને મેરૂઆના, વીડ, સ્ટફ, માલ, પોટ અને ગ્રાસ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. સદીઓથી લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. ગાંજાનું વૈજ્ઞાનિક નામ કેનાબીસ(Cannabis) છે. કેનાબીસ પર સંશોધન ચાલુ છે. તેના સેવન અને અન્ય વસ્તુઓને કારણે શરીરમાં થતા ફેરફારોને લઈને સાઈન્ટિફીક કમ્યુનિટીમાં ખુબ ચર્ચા થઈ રહે છે. ગાંજાને લઈને એક નવો ખુલાસો થયો છે. જર્નલ ઑફ ન્યુરોસાયન્સ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, જે લોકો નિયમિતપણે ગાંજાનું સેવન કરે છે તેઓમાં સહાનુભૂતિની ભાવના વધુ હોય છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ગાંજાના સેવનથી મગજનો ‘એન્ટીરિયર સિન્ગ્યુલેટ’ (એ ભાગ જે ગાંજાના સેવનથી પ્રભાવિત થાય છે.) શરીરના અન્ય ભાગો સાથે વધુ કનેક્ટેડ અનુભવે છે. ખાસ કરીને તે ભાગોમાંથી જે ઈમોશનલ વસ્તુઓનો અનુભવ કરે છે.
રિપોર્ટ અનુસાર, રિસર્ચમાં એવા 85 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ ગાંજાનું નિયમિત સેવન કરતા હતા. તેમજ 51 લોકો એવા હતા જેમણે ગાંજો નથી લીધો. આ તમામ લોકોએ સાયકોમેટ્રિક ટેસ્ટમાં ભાગ લીધો હતો. ઉપરાંત 46 યુઝર્સ અને 34 નોન-યુઝર્સને ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) પરીક્ષા માટે મૂકવામાં આવ્યા હતા.
જોકે, રિસર્ચને લઈને વધુ માહિતી આવવાની બાકી છે. યુનિવર્સિડેડ નેશનલ ઓટોનોમા ડી મેક્સિકોના વિક્ટર ઓલાલ્ડે-મેથ્યુ (તેઓ આ અભ્યાસ હાથ ધરનારા લોકોમાંના એક છે)એ કહ્યું કે આ સંશોધન ગાંજાના સેવનથી થતા ફેરફારો વિશે નવી માહિતી લાવશે. તે સોશિયોપેથી, સામાજિક અસ્વસ્થતા અને અન્ય ઘણી વિકૃતિઓની સારવાર વિશે નવી માહિતી પણ જાહેર કરશે.
ગાંજાના સેવનથી થતા નુકસાન અંગે બહુ સંશોધન નથી. તેનું એક મોટું કારણ એ છે કે તેનો ઉપયોગ લગભગ પ્રતિબંધિત છે. તેમ છતાં આપણે કેટલીક બાબતો જાણીએ છીએ. જેમ કે તેની વિવિધ લોકો પર વિવિધ અસરો હોય છે. પણ એક વાત ચોક્કસ છે. જે લોકો નાની ઉંમરે ગાંજાનું સેવન કરે છે તેમના મગજ પર ખરાબ અસર થઈ શકે છે. 20 વર્ષની ઉંમર સુધી આપણું મગજ સંપૂર્ણ રીતે વિકસિત થતું નથી. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે કિશોરાવસ્થામાં મારિજુઆનાનું ધૂમ્રપાન કરવાથી તેનું સેવન કરનારાઓની જ્ઞાનાત્મક ક્ષમતાઓ પર નકારાત્મક અસર પડી શકે છે.
USAની નેશનલ એકેડમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિને ગાંજાના સંશોધનની સમીક્ષા કરી. એવું જાણવા મળ્યું હતું કે ગાંજાનું સેવન કેટલાક લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કયા લોકો? જેમને શ્વસન સંબંધી સમસ્યાઓ હોય અથવા સગર્ભા સ્ત્રીઓ અથવા જેઓ માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ થવાનું જોખમ ધરાવતા હોય. તેમનો અર્થ એ કે તે બગડતા માનસિક સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે. ઉપરાંત, તેના વધુ પડતા સેવનથી તેના પર નિર્ભરતા વધે છે. એટલે કે તેના વિના જીવવું અજુગતું લાગે છે.
National Academiesના સંશોધન સમીક્ષાએ તેના તબીબી લાભો પણ જાહેર કર્યા. આ અહેવાલ અનુસાર, તેના તબીબી ફાયદાના મજબૂત પુરાવા ઘણા સમસ્યાઓ જેમ કે ક્રોનિક પેન, ઉબકા, ઉલટી વગેરેમાં જોવામાં આવ્યા છે. અન્ય રોગોમાં પણ તેના ફાયદા કહેવાય છે. પરંતુ હજુ પણ વધુ સંશોધનની જરૂર છે.
આ પણ વાંચો: ઈનામ મેળવવાની લાલચમાં ભારતીયો બને છે ‘ફેક મેસેજ’નો શિકાર: રિપોર્ટ
આ પણ વાંચો: 50,000 કરોડનો કારોબાર, બજારમાં રિટેલરોને ‘ધનતેરસ’
આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત