પંજાબ કોંગ્રેસમાં આંતરિક કલહ તેની પરાકાષ્ઠા પર પહોચ્યું હતું અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદ વધુ વકર્યો હતો પરતું કોંગ્રેસે નવા ફોર્મ્યુલાની જાહેરાત કરીને કેપ્ટનની નારાજગી દૂર કરી દીધી અને નવજોત સિદ્વુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે સત્તાવાર રીતે ઘોષણા કરી દેવામાં આવી છે. . નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદની ઘોષણા આજે કરવામાં આવી છે અને તેમની સાથે 4 કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પંજાબ કોંગ્રેસની કમાન ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોતસિંહ સિદ્ધુને સોંપી છે. સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની સાથે સાથે ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ચાર નેતાઓમાં સંગતસિંહ ગિલાજિયન, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરા છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી પંજાબમાં કેપ્ટન અને સિદ્વુ વચ્ચે વિખવાદ ખુબ વકર્યો હતો અને હાઇવોલ્ટેજ ડ્રામાં બાદ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્વુને બનાવ્યા છે.