ગુજરાતના નવા ગૃહ સચિવ બન્યા પંકજ જોશી
રાજ્યના સિનિયર IAS અધિકારીઓમાં થયા ફેરફારો
એક ડઝનથી પણ વધુ અધિકારીઓની થઈ બદલી
CMOમાં રહેલા ACS પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો
કમલ દયાણીને GSFC વિભાગના MDનો વધારાનો હવાલો
કે.કે. નિરાલાને નાણાં સચિવનો વધારાનો હવાલો સોંપાયો
ગુજરાતના નવા ગૃહ સચિવની નિમણૂંક કરી દેવામાં આવી છે, રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ગુજરાતના નવા ગૃહ સચિવના નામોને લઇને અટકળો ચાલી રહી હતી, અંતે આ અટકળોનો અંત આવ્યો છે. આખરે સરકાર દ્વારા પંકજકુમારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પંકજકુમારને ગુજરાતના નવા ગૃહ સચિવ બનાવ્યા છે.