- માજુમ કેનાલમાં 50 ક્યુસેક અને મેશ્વો કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું.
- માજુમ કેનાલથી1000 હેકટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે.
- જ્યારે 4000 હેકટર જમીનને પરોક્ષ લાભ મળશે.
- મેશ્વો કેનાલથી 1500 હેકટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે.
- જ્યારે 7000 હેકટર જમીનને પરોક્ષ લાભ મળશે.
- 50 હજાર હેકટર જમીનમાં કરાયું છે ઘઉંનું વાવેતર
અરવલ્લી જિલ્લાના માજુમ અને મેશ્વો ડેમમાંથી કેનાલમાં ત્રીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે. માજુમ કેનાલમાં 50 ક્યુસેક અને મેશ્વો કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું હતું. માજુમ કેનાલથી એક હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. જ્યારે 4 હજાર હેક્ટર જમીનને પરોક્ષ રીતે લાભ મળશે.
મેશ્વો કેનાલની જો વાત કરીએ તો, મેશ્વો કેનાલથી 1500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. જ્યારે 7 હજાર હેક્ટર જમીનને પરોક્ષ લાભ મળશે. ત્રીજા તબક્કાનું પાણી સતત 15 દિવસ સુધી ચાલુ રખાશે. આપને જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લામાં 50 હજાર હેક્ટર જમીનમાં ઘઉઁનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા તબક્કાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.