- કોર કમિટી બાદ રાજ્યમાં નવા નિયંત્રણો અંગે જાહેરાત થશે
- વેક્સિનેશનને ધ્યાને રાખી નવા નિયંત્રણો અમલી બનાવાશે
- વેક્સિનના બંને ડોઝ લેનારા લોકો માટે નિયંત્રણ ઓછા બાધારૂપ બનશે
- વાણિજ્યિક એકમોમાં કેપેસિટી આધિન નિયંત્રણ લાદી શકાશે
- 50 ટકા કેપેસિટી આધીન છૂટછાટ આપવાની વિચારણા
ગુજરાત રાજ્યમાં કોરોનાણી નવી કડક SOPનિ આજ રોજ જાહેરાત થી શકે છે. વર્તમાન SOPની આજ રોજ મુદ્દત પૂરી થઈ રહી છે. અને હાલમાં રાજ્યમાં કોરોનાં કેસનો રાફડો ફાટ્યો હોય તેમ કેસમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ સરકાર દ્વારા નવી કડક નવી SOP ની જાહેરાત થઈ શકે છે.
નવી જાહેર થતી SOPમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ વધતા સરકાર ચિતિંત બની છે. વર્તમાન SOPની મુદ્દત આજે પૂર્ણ થાય છે. નવી SOP મુજબ વધુ કડક નિયંત્રણો લદાશે. રાત્રે 10 થી સવારે 5 સુધી નો રાત્રિ કરફ્યૂ થઈ શકે છે. 8 મનપામાં રાત્રિ કરફ્યૂની મુદત આજે પૂર્ણ થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 4000+કેસ સામે આવતા સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સહિત ના તમામ સરકારી કાર્યક્રમો રદ કરી નાખવામાં આવ્યા છે તો મુખ્યમંત્રી એ પણ આગામી 15 જાન્યુઆરી સુધી પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ કર્યા છે. તો કેટલીક સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ પણ જાહેર કરવામાં આવ્યું છે.
- રાજ્યમાં છેલ્લા 6 દિવસોમાં નોંધાયેલા કેસની વિગતો ..
ગુજરાત / સ્કૂલોની વહીવટી કામગીરી ઓનલાઈન પણ શિક્ષણકાર્ય તો ઓફલાઇન, આ તે કેવો ન્યાય..?