અરવલ્લી,
અરવલ્લીમાં ભીલોડાના મેહુર ગામે 30 વર્ષીય યુવકની હત્યા થઇ છે. મૃતક અર્જુન ભાગોરાની માથામાં કુહાડી ના ઘા ઝીકી કરી હતી હત્યા. પોલીસની તપાસમાં બાહર આવ્યું કે મેહેરુ ગામના જગદીશ ભાગોરા એ પત્ની સહિત અન્ય બેની મદદથી કરી હતી હત્યા. ભિલોડા પોલીસે 3 સામે હત્યાનો ગુન્હો દાખેલ કર્યો છે. રસ્તા વચ્ચે રાખેલી પાણીની ટાંકી બની મોતનું કારણ.મૃતકના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. પોલીસએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.