અરવલ્લીનાં ખડબી ગામની સગીરાની લાશ વાત્રક નદીમાંથી મળતા સગીરાના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, 7 ફેબ્રુઆરીએ ચોઈલા ગામના યુવાને સગીરાનું અપહરણ કર્યુ હતું. અને શંકા છે કે આ જ યુવકે તેની હત્યા કરી છે. જ્યાં સુધી ચોઈલા ગામના યુવકની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી સગીરાનું પોસ્ટમોર્ટમ નહીં થવા દેવામાં આવે. પરિવારજનો સમગ્ર મામલે બાયડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળાનાં પગલે પોલીસ સ્ટેશને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.