અમદાવાદ,
પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ પર સવાલો ઉઠાવ્યા હતા. સુરેશ મહેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પહેલા જયારે આ નિર્ણય કરવામાં આવ્યો ત્યારે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જેને સરકાર તરફથી કોઈ વિશેષ મહત્વ આપવામાં આવ્યું નથી. નર્મદા નિગમનું કામ ત્રણ રાજ્યોમાંથી નર્મદા ડેમ અને તેને લાગત પ્રોજક્ટ પર જ કામ કરવાનું હોય છે. સ્ટેચ્યુ બનાવવામ સરકારે જે જાહેરાત કરી હતી ત્યારે કહ્યું હતું કે સરકારની તિજોરી પર બોજ નહિ પડે અને લોકો પાસે લોખંડ ઉઘરાવી બનાવવામાં આવશે. જે ખેડૂતની જમીન બંધ બનાવવા માટે ઉપયોગમાં લેવાની હતી પરંતુ હવે તેના પર આ સ્ટેચ્યુ ઉભું કરી દેવામાં આવ્યું છે.