અરવલ્લી,
અરવલ્લી ધાનેરા પોલીસે બાયડના ૨૫થી વધુ શિક્ષકોની અટકાયત કરી હતી. જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, અને બાયડ શિક્ષકો એકઠા થયા હતા.
પોલીસે બાયડના શિક્ષકોની અટકાયત કરી હતી. શિક્ષકોએ પોતાની પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર તરફ કૂચ કરી હતી અને શિક્ષકો મોડાસાથી ગાંધીનગર તરફ ખાનગી ગાડીમાં રવાના થયા હતા.
ત્યારે બાયડના ૨૫થી વધુ શિક્ષકોની અટકાયત કરી ધનસુરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બાબતે શિક્ષક વિશાલભાઈ પટેલે જણાવ્યુ કે સરકાર તાનાશાહી ચલાવી રહી છે તેની સામે વિરોધ કરતા અમારી અટકાયત કરવામાં આવી છે. અમારા પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવે તેવી અમે આશા રાખીએ છીએ.