Not Set/ મેઘાણીનગર/ જોગેશ્વરી ચાલીમાં ભરબપોરે યુવકની હત્યા…

  અમદાવાદ શહેરમાં 24 કલાકમાં જ  બે હત્યાના બનાવ સામે આવ્યા છે. મેઘાણીનગરમાં આવેલ જોગેશ્વરી ચાલીમાં અંગત અદાવતમાં ભર બપોરે યુવક ની  હત્યા કરવામાં આવી છે.  શહેરમાં પૂર્વ વિસ્તાર એ જાણે ક્રાઈમ નું  એપી સેન્ટર બન્યું છે. સવાર પડેને હત્યા અને લૂંટના બનાવ સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં 24 કલાકમાં જ પૂર્વ વિસ્તાર માં […]

Ahmedabad Gujarat
e866eacf86a66e6058fa5820515ba0a8 મેઘાણીનગર/ જોગેશ્વરી ચાલીમાં ભરબપોરે યુવકની હત્યા...
e866eacf86a66e6058fa5820515ba0a8 મેઘાણીનગર/ જોગેશ્વરી ચાલીમાં ભરબપોરે યુવકની હત્યા... 

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં જ  બે હત્યાના બનાવ સામે આવ્યા છે. મેઘાણીનગરમાં આવેલ જોગેશ્વરી ચાલીમાં અંગત અદાવતમાં ભર બપોરે યુવક ની  હત્યા કરવામાં આવી છે. 

શહેરમાં પૂર્વ વિસ્તાર એ જાણે ક્રાઈમ નું  એપી સેન્ટર બન્યું છે. સવાર પડેને હત્યા અને લૂંટના બનાવ સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં 24 કલાકમાં જ પૂર્વ વિસ્તાર માં બે હત્યાના બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગરમાં આવેલા જોગેશ્વર ની ચાલી માં  રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કેતન દીક્ષિત નામના યુવકની સરા જાહેરમાં છરીના ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધો. અને આરોપી બીજું કોઈ નઈ તેની જ ચાલીમાં રહેતો 21 વર્ષીય તેજસ મહેરીયાએ હત્યા કરી ફરાર થઈ ગયો. આરોપી તેજસ અને મૃતક કેતન છેલ્લા ઘણા સમથી માથાકૂટ ચાલતી હતી પણ આજે બપોરે તેજસે છરી વડે કેતન ગળા પર ઉપરા છાપરી ચપ્પાના ધા મારી હત્યા કરી દીધી. 

પ્રાપ્ત વિગતો અનુસાર જોગેશ્વરી ચાલીમાં રહેતો 30 વર્ષીય કેતન દીક્ષિત બપોરના સમયે ચાલી ના ગેટ આગળ રિક્ષામાં બેઠો હતો. ત્યારે તેની ચાલીમાં રહેતો અને રીક્ષા ચલાવતો આરોપી તેજસ મહેરીયા ચાલીના ગેટ આગળ બેસેલા  કેતન દીક્ષિત ને એક બાદ એક છરીના ઘા ગળાના ભાગે મારી તેનું મોત નિપજાવ્યું હતું. જોકે ભર બપોરે ભરચક વિસ્તાર મા આ પ્રકાર નો બનાવ બનતા અનેક સવાલો ઉભા થયા છે. હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે અને આ અંગત અદાવત જ મોતનું કારણ બની છે. પોલીસના બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયો હતો.

કોઈ વાત નો બદલો લેવો અને બદલામાં હત્યા કરવી એ  શહેરમાં નવી પેટર્ન બની છે. અને આ પેટર્ન ના કારણે જ ક્યાંક બદલો લેવા ક્યાંક અદાવતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આ સિલસિલો રોકાય તે પણ જરૂરી બન્યું છે.

રવિ ભાવસાર, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.