ડાયમંડ સિટી/ સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ, ભરબજારમાં યુવકને રહેંસી નાખ્યો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોટી ટોકીઝ પાસે એક યુવાનની રૂપિયાની લેતી દેતી બાબતે હત્યા કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 13T123405.235 સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ, ભરબજારમાં યુવકને રહેંસી નાખ્યો
  • સુરતની મોટી ટોકીઝ પાસે હત્યા
  • ભરચક પતંગ બજારમાં હત્યાનો બનાવ બન્યો
  • હત્યાની ઘટના બાદ નાસભાગ મચી
  • ઇન્દરપુરાના યુવક સાથે ઉઘરાણીનો ઝઘડો હતો
  • પિયુષ રાણા પર વિકી ચેવલી નામના યુવાને કર્યો હતો હુમલો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોટી ટોકીઝ પાસે એક યુવાનની રૂપિયાની લેતી દેતી બાબતે હત્યા કરવામાં આવી હતી.સિનેમારોડ મોતીટોકીઝ પાસેના ચાર રસ્તા નજીક પિયુષ ઉર્ફ રામુ રાણાને મિત્ર વીકી ચેવલીએ તિક્ષ્ણા હથિયાર ઘા ઝીકી હત્યા કરી ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તે પ્રકારની ઘટના દિવસેને દિવસે બની રહી છે સુરત શહેરમાં મોટી ટોકીઝ પાસે પતંગ બજારની અંદર ભરચક બજારમાં એક યુવાનની હત્યા કરવામાં આવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો થઈ રહ્યા છે ભર બજારમાં યુવાને શિક્ષણ હથિયારના ઘા મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર અર્થે યુવાને હોસ્પિટલ ખસેડાતા ફરજના તબીબી મૃત જાહેર કર્યો હતો .સમગ્ર ઘટનાની વાત કરીએ તો બેગમપુરા મોતીટોકીઝ પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની સરા જાહેર હત્યા કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દરપુરા ગોલવાડ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમારોડ ના ચાર રસ્તા પાસે બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલા વિકી મહેશભાઈ ચેવલી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે વિવાદ ઉભો થયો હતો.

આ ઝગડાની અદાવતમાં શુક્રવારની રાત્રિ દરમિયાન પિયુષ ઉર્ફે રામુ રાણાની વિકી ચેવલીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે સગરામપુરા કૈલાશ નગર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તેનું મોત નિપજ્યું હતું. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃતક પિયુષ ઉર્ફે રામુ સામે પણ દારૂ વેચવાના ધંધા કરવા બદલ ગુનાઓ દાખલ થયા છે.

ઇન્દરપુરા ગોલવાડમાં એલુ – દેલુ નામથી જાણીતા બે ભાઈઓ રામુ અને શ્યામું પૈકી રામુની તેના મિત્ર વીકી દ્વારા રૂપિયા બાબતના ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.મહત્વનું કહી શકાય કે ભરચક પતંગ બજારમાં સરા જાહેર હત્યા ની ઘટના બનતા પોલીસનો કોઈ ખોફ ના હોય તે પ્રકારે હત્યારા એ ખુલ્લેઆમ ચપ્પુના ઘા જીંકી દીધા હતા. યુવાનનું મોત થઈ જતા પોલીસે સમગ્ર મામલે હથિયાર અને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી