ગુજરાત રાજ્યમાં દરરોજ કોઈ ને કોઈ યુવાનોનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થતું હોવાના માઠા સમાચાર મળતા રહે છે. એવા જ એક માઠા સમાચાર આજે પંચમહાલ જિલ્લાના શહેરાના બાહી ગામે ફરજ બજાવતા શિક્ષક એવા કવિ મોહસીન મીરનું હૃદયરોગના હુમલા ને કારણે મૃત્યુ થતા જ તેમના પરિવારજનો, સ્નેહીજનો અને ચાહકો તેમ જ વિદ્યાર્થીગણ શોકાતુર જોવા મળ્યા હતા.
શહેરા તાલુકાના બાહી ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક એવા કવિ મોહસીન મીર અભ્યાસ કરાવી રહયા હતા ત્યારે બપોરના ૧:૩૦ વાગ્યાના સમયે છાતીમાં દુઃખાવો ઉપડતા જ તાત્કાલીક ગોધરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા જ પરિવારજનો, શિક્ષક જગત અને વિદ્યાર્થીગણમાં શોકાતુર માહૌલ જોવા મળ્યો હતો.!!
આ પણ વાંચો:
આ પણ વાંચો: