હાર્ટ એટેકથી મોત/ પંચમહાલમાં હાર્ટ એટેકથી શિક્ષકનું મોત,શિક્ષક આલમ અને વિદ્યાર્થીગણ શોકાતુર.!!

પંચમહાલના શહેરા તાલુકાના બાહી ગામના ફરજ બજાવતા અને ગોધરા શહેરના યુવા કવિ-શિક્ષક મોહસીન મીરનું હૃદયરોગના કારણે મૃત્યુ નિપજતા પરિવારજનો, શિક્ષક આલમ અને વિદ્યાર્થીગણ શોકાતુર.!!

Gujarat Others

ગુજરાત રાજ્યમાં દરરોજ કોઈ ને કોઈ યુવાનોનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થતું હોવાના માઠા સમાચાર મળતા રહે છે. એવા જ એક માઠા સમાચાર આજે પંચમહાલ જિલ્લાના શહેરાના બાહી ગામે ફરજ બજાવતા શિક્ષક એવા કવિ મોહસીન મીરનું હૃદયરોગના હુમલા ને કારણે મૃત્યુ થતા જ તેમના પરિવારજનો, સ્નેહીજનો અને ચાહકો તેમ જ વિદ્યાર્થીગણ શોકાતુર જોવા મળ્યા હતા.

શહેરા તાલુકાના બાહી ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક એવા કવિ મોહસીન મીર અભ્યાસ કરાવી રહયા હતા ત્યારે બપોરના ૧:૩૦ વાગ્યાના સમયે છાતીમાં દુઃખાવો ઉપડતા જ તાત્કાલીક ગોધરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા જ પરિવારજનો, શિક્ષક જગત અને વિદ્યાર્થીગણમાં શોકાતુર માહૌલ જોવા મળ્યો હતો.!!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: