આસામમાંથી જામીન મળ્યા બાદ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. આસામની બારપેટા પોલીસે અન્ય એક કેસમાં તેની ધરપકડ કરી છે, જોકે પોલીસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે મેવાણીની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરી ધરપકડ બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે.
આ પહેલા આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી જીજ્ઞેશની ધરપકડ કરી હતી. તેના પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કરવાનો આરોપ છે. ભાજપના સ્થાનિક નેતા અરૂપ કુમાર ડેએ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે મેવાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘PM મોદી-ગોડસેને ભગવાન માનવામાં આવે છે’. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ભાજપ અને પીએમના ટીકાકારોએ જીગ્નેશ મેવાણીની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મેવાણીની ધરપકડને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ પણ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી, કોંગ્રેસના નેતાઓએ મેવાણીના સમર્થનમાં ધરણા કર્યા.
રવિવારે, આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કરી.
મેવાણીએ તેમની ધરપકડને ભાજપ અને આરએસએસનું કાવતરું ગણાવ્યું હતું. તેણે કહ્યું કે મારી છબી ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ આયોજન છે, જેમ કે રોહિતે વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું હતું. હવે તેમનું નિશાન મારા પર છે.
જીગ્નેશ મેવાણી પર ગુનાહિત ષડયંત્ર રચવા, ધર્મસ્થળોને લગતા ગુનાઓ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને લોકોને શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: challenge / અમે હનુમાન ચાલીસા વાંચીશું, હિંમત હોય તો કેસ દાખલ કરો: ફડણવીસ
આ પણ વાંચો: સાવધાન! / તમને કોરોના નથી થયો અને જો તમે વેકસિનેશન લીધી હોય તો પણ ચેતજો : કોરોના અંગે વૈજ્ઞાનિકોનું નવું તારણ છે આવું