ભિલોડામાં પાદરાના યુવકના મોતનો મામલો
મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનો મક્કમ
ત્રીજા દિવસે પણ મૃતદેહ રઝળ્યો
પોસ્ટ મોર્ટમની માંગ પર પરિવાર અડગ
અરવલ્લીના ભિલોડામાં પાદરાનાં યુવકનાં મોતનો મામલો હજુ પણ ગૂંચવાયેલો છે. પરિવારજનો દ્વારા સતત ત્રીજા દિવસે પણ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરાયો છે. પરિવારજનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટની માંગણી પણ અડગ રહ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહ સ્વીકારાશે તેવુ પરિવારજનોએ મક્કમતા બતાવી છે.
આ મામલામાં પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરક્ષાના ભાગરૂપે અરવલ્લી પોલીસનો કાફલો ભિલોડામાં તૈનાત કરી દેવાયો હતો. નોંધનીય છે કે, ભિલોડામાં પાદરાનાં યુવકની હત્યા કરી તેના ઘર આગળ ગળા ફાંસો આપી યુવકને લટકાવી દેવાયો હતો. આ વૈમાન્યુષ્ય ભર્યા પગલાને લઇને સમગ્ર પંથકમાં અજંપાની સ્થિતિ છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા યુવકનું પોસ્ટમોર્ટમ કેમ નથી કરાવવામાં આવી રહ્યું તે પણ એક સવાલ લોકોમાં ઉઠી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://www.youtube.com/watch?v=kCeWvsDVNJM&feature=youtu.be
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.