Mahesana News: મહેસાણા નગરપાલિકા ના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ના પંપિંગ માટે પંપિંગ સ્ટેશનો માં લગાવેલી મોટરો ની ચોરી થઈ ગઈ હોવાના મુદ્દે પાલિકા એ ખુલાસો કર્યો છે.દરબાર ગ્રુપ નામ ની એજન્સી નો ભૂગર્ભ ગટર સફાઈ નો કોન્ટ્રાકટ બે વર્ષ અગાઉ દરબાર નામ ની એજન્સી ને આપવામાં આવ્યો હતો.પરંતું તાજેતર માં પાલિકા એ પંપિંગ સ્ટેશનો ની તપાસ કરતા 25 જેટલી પંપિંગ ની મોટરો ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું.
મોટર ગાયબ થઈ અને ચોરી થઈ હોવાના વિવાદ વચ્ચે દરબાર નામ ની એજન્સી એ પાલિકા ની જાણ બહાર મહાકાળી કોર્પોરેશન ને રીપેર કરવા આપી હોવાનું પ્રકાશ માં આવ્યું છે.પાલિકા ના પંપિંગ સ્ટેશન ની 25 ના બદલે 20 મોટરો ગાયબ થઈ હતી અને એ તમામ મોટરો રીપેરીંગ માં હોવાનું પાલિકા એ ખુલાસો કર્યો છે.
છેલ્લા એક માસ થી દરબાર એજન્સી એ ભૂગર્ભ ગટર સફાઈ નું કામ બંધ કરેલું છે અને હવે એક વર્ષ બાદ મોટરો ગાયબ હોવાના ખુલાસા બાદ મોટરો રીપેરીંગ બીલ ચુકાવ્યું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ પરત આપી નથી.આમ,દરબાર એજન્સી ના અગાઉ ના લાખ્ખો રૂપિયા બીલ બાકી હોવા ઉપરાંત હાલ ની 20 મોટરો નું રીપેરીંગ બીલ 7 લાખ ચૂકવાયું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ મોટરો ઘણાં લાંબા સમય થી પરત કરી નથી. અને આજ કારણોસર પંપિંગ સ્ટેશન ની મોટરો ચોરી થઈ ગઈ હોવાનો વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી
આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો
આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું