કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે સંસદમાં બેઠક મળી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોંઘવારીને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે, જે સૂચનો મળ્યા છે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:કચ્છ-ભૂજમાં સ્થપાશે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ
કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તન અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે, પાર્ટીમાં એકતા સર્વોપરી છે અને તેને સુનિશ્ચિત કરવા માટે હું દરેક પગલું ભરવા તૈયાર છું. કોંગ્રેસમાં પરિવર્તન માત્ર પક્ષ માટે જ નહીં પરંતુ દેશના લોકતંત્ર અને સમાજ માટે પણ જરૂરી છે. હું જાણું છું કે તાજેતરની ચૂંટણીમાં હારથી તમે બધા કેટલા દુઃખી છો. પરિણામો આઘાતજનક અને ઉદાસી હતા. દેશને તોડવાનો અને ધ્રુવીકરણ કરવાનો સરકારનો એજન્ડા ચાલુ છે.
ભાજપ પર તેના “વિભાજન અને ધ્રુવીકરણના એજન્ડા” પર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, વિભાજન સમયે તથ્યો અને ઈતિહાસને વિકૃત કરવું એ શાસક પક્ષ માટે નિયમિત બાબત બની ગઈ છે. “અમે ભાજપને સદીઓથી આપણા વૈવિધ્યસભર સમાજને એકીકૃત અને સમૃદ્ધ બનાવનાર સૌહાર્દના સંબંધોને બગાડવા નહીં દઈએ.”
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ સંસદીય દળની આ પ્રથમ બેઠક છે. પાર્ટીએ આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો સામનો કરવાનો છે. બીજી તરફ કોંગ્રેસ આ દિવસોમાં આંતરિક વિખવાદનો સામનો કરી રહી છે. એક તરફ મધ્યપ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ નારાજ છે તો બીજી તરફ છત્તીસગઢ અને રાજસ્થાનનો મુદ્દો ઉકેલાયો નથી.
આ પણ વાંચો:અહમદ પટેલના પુત્ર ફૈઝલના ટ્વિટ પર પ્રદેશ કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, કહ્યું-આવી કોઇ માહિતી…
આ પણ વાંચો:શ્રીલંકાની દુર્દશા પર સંજય રાઉતે કહ્યું, ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે