અયોધ્યા રામ મંદિર/ અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ ભવ્ય રીતે ઉજવાયો હતો

India
11 4 અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થવાને કારણે એરલાઈન્સ કંપનીઓએ અયોધ્યા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. 1 ફેબ્રુઆરીથી અયોધ્યા માટે દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુથી વધારાની ફ્લાઈટ દોડશે. દિલ્હીથી અયોધ્યા અને અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ઉડશે. અયોધ્યાથી મુંબઈ માટે દરરોજ ફ્લાઈટ્સ ઉડશે.

ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ ભવ્ય રીતે ઉજવાયો હતો. રામ લલાના દર્શન માટે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્વાળુઓ આવી રહ્યા છે, દેશમાંથી પણ શ્રદ્વાળુઓની ભારે ભીડ રહે છે, જેના લીધે દેશના આઠ મોટા શહેરોમાંથી નિયમિત હવાઇ ઉડાનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

દિલ્હી – અયોધ્યા – 10.40 – 12.00 – દરરોજ (બુધવાર સિવાય)
અયોધ્યા – દિલ્હી – 8.40 – 10.00 – દરરોજ (બુધવાર સિવાય)
ચેન્નાઈ – અયોધ્યા – 12.40 -15.15 – દરરોજ
અયોધ્યા – ચેન્નાઈ – 16.00 -19.20 – દૈનિક
અમદાવાદ – અયોધ્યા – બુધવાર સિવાય દરરોજ 6.00-8.00
અયોધ્યા – અમદાવાદ – 12.30-14.25 – બુધવાર સિવાય દરરોજ
જયપુર – અયોધ્યા -7.30-9.15- અઠવાડિયામાં ચાર દિવસ
અયોધ્યા – જયપુર -15.45-17.30- અઠવાડિયામાં ચાર દિવસ
પટના – અયોધ્યા-14.25-15.25- અઠવાડિયામાં ચાર દિવસ
અયોધ્યા – પટના – 13.00-14.00- અઠવાડિયામાં ચાર દિવસ
દરભંગા – અયોધ્યા – 11.20-12.30 – અઠવાડિયામાં ચાર દિવસ
અયોધ્યા – દરભંગા -9.40-10.50- અઠવાડિયામાં ચાર દિવસ
મુંબઈ – અયોધ્યા -8.20-10.40- દૈનિક
અયોધ્યા – મુંબઈ -11.15-13.20 – દરરોજ
બેંગલુરુ – અયોધ્યા – 10.50-13.30 – અઠવાડિયામાં ચાર દિવસ
અયોધ્યા – બેંગલુરુ – 14.10-16.45 – અઠવાડિયામાં ચાર દિવસ