ભારતીય નૌસેનાએ ફરી એકવાર સમુદ્રમાં પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. ભારતીય નૌકાદળે શ્રીલંકાના એક જહાજને સોમાલી ચાંચિયાઓથી સફળતાપૂર્વક બચાવી લીધું છે. ત્રણ દિવસમાં ભારતીય નૌકાદળનું આ ત્રીજું સફળ ઓપરેશન છે.આ પહેલા નૌકાદળે અરબી સમુદ્રમાં અદ્ભુત હિંમત દાખવીને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી એક ઈરાની જહાજને બચાવી લીધું હતું. તેમજ 19 પાકિસ્તાની માછીમારો સહિત સમગ્ર જહાજને બચાવી લેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નૌકાદળે નિવેદન આપતા જણાવ્યું હતું કે સેશેલ્સ સંરક્ષણ દળો અને શ્રીલંકાની નૌકાદળના સહયોગથી સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા શ્રીલંકાના જહાજને સફળતાપૂર્વક બચાવી લીધું છે. , ત્રણ ચાંચિયાઓએ સેશેલ્સ કોસ્ટ ગાર્ડને આત્મસમર્પણ કર્યું હતું, તમામ છ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને જહાજને સેશેલ્સના માહે તરફ ખેંચવામાં આવી રહ્યું છે.છેલ્લા ઘણા સમયથી દરિયામાં લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. નૌકાદળને સોમાલિયાના મોગાદિશુના પૂર્વમાં એક શ્રીલંકાના ધ્વજવાળા માછીમારી જહાજને હાઇજેક કરવાની માહિતી મળી હતી. એવું જાણવા મળ્યું હતું કે 27 જાન્યુઆરીએ ત્રણ ચાંચિયાઓ ફિશિંગ ટ્રોલરમાં સવાર હતા અને તેને હાઇજેક કરી લીધા હતા. નૌકાદળે 28 જાન્યુઆરીએ INS શારદાને મદદ કરવા માટે તૈનાત કરી અને હેલ સી ગાર્ડિયનને અપહરણ કરાયેલ શ્રીલંકાના જહાજને શોધવા અને અટકાવવાનું કામ સોંપ્યું હતું